જીકાદરા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:10:28 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયામાંથી ગામ સોરઠમાં જીકદરના નામથી જીકાદરા शाज પડી છે. કાશીમાં વટાળ થયો વાટલીયા કહેવાણા છે. શાખા માધની પરવર ત્રીજો ગોત્ર દેવી ચામુંડા ચોટીલાના ખેત્રપાળ નાગદેવ જીકાદરા ગામના ખોડિયારમાં ગળધરાના છે. શીકોતર માતાજી કોયલાવીર બીલખાની વાવના કહેવાય છે. કોયલા વીર જીકાદરામાં કેમ પુજાણા તેની વિગતઃ જીકાદરા ના ઘરમાં બીલખાના રાવળ શાખના દીકરી તેના પત્નિ હતા. માતાજીનો હવન કરતા હતા. યજ્ઞ કુડના અગ્ની જવાળા કપડે લાગી. રાવળ પુત્રી એ કોયલા વીરને યાદ કર્યા. ગુપ્ત સ્વરૂપે આવી અગ્ની ચુસી લીધી. પ્રત્યક્ષ દર્શન દીધા. જીકાદરા ભાઈએ કહ્યું કે બાપા તમે અમારી વાર કરી અમારા કુળમાં પુજાવ સદા અમે પુજશું. દીકરીને બચાવી ત્યારથી કોયલા વીર જીકાદરામાં પુજાય છે. તેમનું નીવેદ ચોખાનું સુદરણુ થાય છે. ચોખા ચડી જાય પછી ઘી ગોળ ભેળવી ચોખાને હલાવી નાખવા તેને સુદરણુ કહેવાય છે. દેવના નીવેદ નોરતાની નોમના થાય છે. કોયલા વીરને આઠમનું નીવેદ કરવું તેમ કોયલ વીર માગ્યું છે. ચામુંડામાંને વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખેત્રપાળ નાગદેવને ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ખોડિયાર માંને લાપસી પાલી સવાની શીકોતરમાંને કુલેર ગડીયા સવાની સુરધન દાદાને ચોખા પાલી સવાના જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ વાર સવાનીલગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.